પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪
શિક્ષણ
અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯/૧૧/૧૯૮૪ના ઠરાવ ક્રમાંક:
એસ.સી.એચ. ૧૦૮૯/૪૦૪૯ તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક
ક્રમાંક:એસસીએચ/૧૧૧૬/૫૩૯/છ. તા.૧૪/૦૮/૨૦૧૭ અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ
પરીક્ષા-૨૦૨૩- ૨૪ (શહેરી/ગ્રામ્ય/ ટ્રાયબલ)વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની
પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪
દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
પરીક્ષાનો
કાર્યક્રમ:
• જાહેરનામું બહાર પાડયાની તારીખ : ૨૭/૦૨/૨૦૨૪
• પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો :
તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪
• પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો :
તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૨/૦૩/૨૦૨૪
• પરીક્ષાની તારીખ : ૨૮/૦૪/૨૦૨૪
ઉમેદવારની લાયકાત:
પ્રાથમિક
શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
• જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ મા
સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા
પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ
પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ
પરીક્ષા આપી શકશે.
• ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ
મેળવેલ હોવો જોઇએ.
માધ્યમિક
શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
• જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં
સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક
શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
આપી શકશે.
• ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ
મેળવેલ હોવો જોઇએ.
અભ્યાસક્રમ:
પ્રાથમિક
શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
• પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે
અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.
માધ્યમિક
શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
• માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે
અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશે.
માધ્યમ: પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.
ઓફિસીઅલ
પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા માટે : Click Here