UDAAN



રૂ.રપ૦૦માં હવાઇ યાત્રાઃ ફેબ્રુઆરીથી ઉડાન યોજના શરૂ
ઉડાન હેઠળ પ૦૦ કિ.મી.ની હવાઇ યાત્રા માટે વધુમાં વધુ રપ૦૦ની ટિકિટ રહેશેઃ 
૪૩ એરપોર્ટ પરથી આ સેવા શરૂ થશેઃ 
૧પ રાજયોએ કર્યા એમઓયુઃ 
ગુજરાતે પણ નોંધાવી ભાગીદારી

   રિજીયોનલ કનેકટીવીટી સ્કીમ 'ઉડાન'નું ઉડ્ડયન ફેબ્રુઆરીથી શરૂ થઇ જશે. સૌથી પહેલા લુધીયાણા, સીમલા, જમશેદપુર, પંતનગર અને કુચબિહાર જેવા ઓછા ઉપયોગવાળા ૪૩ એરપોર્ટ પરથી આ ફલાઇટ શરૂ થશે. તે પછી ધીમે-ધીમે નાના મોટા શહેરોના અન્ય કાર્યરત, ઓછા ઉપયોગમાં આવતા કે ઉપયોગમાં નહી આવતા એરપોર્ટ પણ રિજીયોનલ કનેકટીવીટી સ્કીમ સાથે જોડાય જશે. કેન્દ્રીય ઉડ્ડયન રાજયમંત્રી જયંત સિંહાએ આ માહિતી આપી હતી.
      તેમણે કહ્યુ હતુ કે, આ સ્કીમને અપનાવવા માટે અત્યાર સુધી ૧પ રાજયોએ કેન્દ્ર સાથે એમઓયુ કર્યા છે. ત્રણ રાજયોએ આની સહમતી આપી છે. ઝારખંડ, હિમાચલ, પંજાબ, ઉત્તરાખંડ,
      ગુજરાત, મહારાષ્ટ્ર, પ.બંગાળ, છત્તીસગઢ, આંધ્ર, તેલંગાણા, આસામ જેવા રાજયો સામેલ છે. આ રાજય સ્કીમ હેઠળ એરલાઇન્સને લેન્ડીંગ તથા પાર્કીંગ ફીમાં રાહત ઉપરાંત વિમાન ઇંધણ પર ટેકસમાં છુટ પણ આપશે. આ સ્કીમ હેઠળ અત્યાર સુધી ૧૧ એરલાઇન્સો તરફથી ૧૯૦ રૂટ માટે ૪૩ પ્રારંભિક પ્રસ્તાવ મળ્યા છે. 
      આના જવાબમાં એરલાઇન્સો પાસેથી ૧લી ફેબ્રુઆરી સુધીમાં કાઉન્ટર પ્રસ્તાવો માંગવામાં આવ્યા છે તે પછી ૩જી ફેબ્રુઆરી સુધીમાં રૂટોની ફાળવણી કરી દેવામાં આવશે. સરકાર પાસેથી સૌથી ઓછી સહાયતા માંગનાર એરલાઇન્સને આ સ્કીમના રૂટ ફાળવાશે. જો કે ઓછા ઉપયોગવાળા ૧ર એરપોર્ટ એકદમ તૈયાર છે. તેથી ફેબ્રુઆરીમાં જ સ્કીમનું પ્રથમ ઉડ્ડયન લોન્ચ થઇ જશે. તે પછી કુલ મળીને એવા પપ એરપોર્ટ ઉપરથી નિયમિત ફલાઇટો શરૂ થઇ જશે.ઉડ્ડયન હેઠળ પ૦૦ કિ.મી.ની હવાઇ યાત્રા માટે વધુમાં વધુ રપ૦૦રૂ.ની ટિકિટ હશે. 
     ફિકસ્ડ વીંગ વિમાનોને આ યાત્રા અડધા કલાક તથા હેલીકોપ્ટરોએ એક કલાકમાં પુરી કરવી પડશે. દેશના તમામ એરપોર્ટની સુરક્ષા હવે સીઆઇએસએફ કરશે. અમારા પ્રસ્તાવને ગૃહખાતાએ મંજુરી આપી છે. હાલ ૯૮માંથી પ૯ ઉપર જ સીઆઇએસએફ તૈનાત છે.

આ સમાચાર જોવા માટે અહિં ક્લિક કરો.