Modi Pension Gift




વરિષ્ઠ નાગરિકોને મોદી સરકારની ભેટ, રૂ.10,000 સુધીનું પેન્શન મળશે
કેન્દ્ર સરકાર વરિષ્ઠ નાગરિકો માટે સારાં સમાચાર લઇને આવી રહ્યું છે. જેના અનુસાર પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY)ના હેઠળ વરિષ્ઠ નાગરિક 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકશે. તેનાથી તેમને દર મહિને રૂ. 10,000 પેન્શન મળવાનો રસ્તા સાફ થઇ ગયો છે. ઉપરાંત યોજનાના સભ્ય બનવાની છેલ્લી તારીખ પણ 4 મે 2018થી વધારીને 31 માર્ચ 2020 કરી દેવામાં આવ્યું છે, એટલે કે હવે વરિષ્ઠ નાગરિક વધારેલી તારીખ સુધી તેનાથી સભ્ય બની શકશો.
અગાઉ યોજનામાં રોકાણની મર્યાદા રૂ. 7.5 લાખ કરી હતી. નિર્ણય કેબિનેટની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે. કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે તેની પુષ્ટિ કરી છે. તેમના અનુસાર રોકાણ મર્યાદા પ્રતિ પરિવાર રૂ. 7.5 લાખથી વધારીને રૂ. 15 લાખ કરવાથી વરિષ્ઠ નાગરિકોની સામાજિક સુરક્ષાનું કવર વધી જશે.
કેન્દ્રએ પગલું સામાજિક સુરક્ષા વધારવાના ઉદ્દેશ્ય સાથે ભર્યું છે. PMVVY ભારતીય જીવન વીમા નિગમ (LIC) ચલાવી રહી છે. તેનો ઉદ્દેશ્ય 60 વર્ષથી ઉપરના લોકોને સામાજિક સુરક્ષા આપવાનો છે. સરકારના અનુસાર માર્ચ 2018 સુધી કુલ 2.23 લાખ વરિષ્ઠ નાગરિકોને યોજનાને ગ્રહણ કરી છે. પહેલાં વરિષ્ઠ પેંશન વીમા યોજના-2014 ચાલુ હતી, જેમાં 3.11 લાખ વરિષ્ઠ નાગરિકો નોંધાયેલા છે.
PMVVY એટલે..
યોજના હેઠળ સભ્યોને 10 લાખ સુધી 8 ટકા સુનિશ્વિત રિટર્નના રૂપમાં પેંશન મળે છે. વરિષ્ઠ નાગરિક માસિક, ત્રિમાસિક, છમાસિક અથવા વાર્ષિક આધાર પર પેંશન લે છે. એટલું નહી રિટર્ન 8% થી ઓછું આવતાં સરકાર ભરપાઇ કરે છે.
લાભ લેવા માટે શું કરવાનું રહેશે?
અંગે માહિતી આપતાં નાણામંત્રી અરૂણ જેટલીએ પેંશન યોજનાની શરૂઆત 2017માં કરી હતી. ઉત્પાદને ઓફલાઇનની સાથે-સાથે ઓનલાઇન પણ સબસ્ક્રાઇબ કરવામાં આવી શકે છે. યોજનાને GST માંથી રાહત આપવામાં આવી છે. પેંશન લેવાના 3 વર્ષ બાદ કેસની જરૂરિયાતોને પુરી કરવા માટે ખરીદ મૂલ્ય 75% સુધી લોન લઇ શકાય છે. પેન્શનદારોની પોલિસીના સમયગાળામાં મોત થવાની સ્થિતિમાં ખરીદ મૂલ્ય લાભાર્થીઓને સોંપવામાં આવશે. દરમિયાન પડતરની ચૂકવણી સરકાર પાસેથી સબસિડીના રૂપમાં LICને કરશે.