Annual TimeTable



વાર્ષિક પરીક્ષા સમયપત્રક અને ગાઈડલાઈન
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સમજણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરે તે જરૂરી છે. આ પ્રકારનું જ્ઞાન વિદ્યાર્થીઓ મેળવે તો જ પાઠ્યપુસ્તકોનો હેતુ જળવાઈ રહે. વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ઉચ્ચ વિચાર કૌશલ્યોના પ્રશ્નો હોવા જોઈએ. આ બાબતને ધ્યાને લઈને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્ર પરીક્ષાના ધો. ૩ થી ૮ ના તમામ વિષયોના પ્રશ્નપત્રો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફત આપવામાં આવશે.
પ્રશ્નપત્રોનું પ્રિન્ટીંગ પ્રતિ વર્ષની માફક જિલ્લા કક્ષાએથી જ કરવાનું રહેશે.
·       ધો. ૩ થી ૮ની પરીક્ષા સમગ્ર રાજ્યમાં ૨૬ માર્ચથી શરુ થશે.
·       ૮ એપ્રિલ સુધી ચાલશે પરીક્ષા
·       છેલ્લા ત્રણ દિવસ કલા-કૌશલ્યના વિષયોની પરીક્ષા
·       ધો. ૩ અને ૪માં વિદ્યાર્થીઓએ ઉત્તરો પ્રશ્નપત્રમાં જ લખવાના રહેશે.
·       ઉત્તરવહીઓનું ૧૦૦% બાહ્ય મૂલ્યાંકન કરાવવાનું રહેશે.
·       ધો. ૫ અને ૮નુ પરિણામ ૧૫-એપ્રિલના રોજ
·        અન્ય ધોરણોનું પરિણામ ૧૮-એપ્રિલના રોજ
વિગતવાર માહિતી માટે ગાંધીનગરથી પ્રકાશિત પરિપત્ર જુઓ
=================
ટૂંક સમયમાં અલગ અલગ વિષયોના પ્રેકિટસ પેપર મુકવામાં આવશે.