Lockdown Pledge



I Support LockDown
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યા કે, કોરોના વાયરસના સંક્રમણને જોતા સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવશે. એટલે કે એક પ્રકારનો કરફ્યુ છે, જે જનતા કરફ્યુથી એક પગલું આગળનો નિર્ણય છે. જેમાં તમામ દેશવાસીઓને તેઓ હાલ જ્યા છે ત્યાં રહેવા વડાપ્રધાને નમ્ર વિનંતી કરતા કહ્યું કે, તમામ લોકો પોતાના ઘરમં રહે. જો હાલ આપણી સ્થિતિને નહીં સમજીશું  અને અંકુશમાં નહીં લઇશું તો સમગ્ર દેશે તેનું આર્થિક નુકસાન સહન કરવું પડશે.    
21 દિવસ આપણે નહીં સંભાળીએ તો દેશ 21 વર્ષ પાછળ ધકેલાઈ જશે
મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજ રાત 12 વાગ્યાથી સમગ્ર દેશમાં લોકડાઉન રહેશે, અને લોકડાઉનની સ્થિતિ દેશાં 21 દિવસ સુધી રહેશે. જો 21 દિવસ આપણે નિયમોનું પાલન નહીં કરીશું અને કોરોના વાયરસનું  સંક્રમણ ફેલાઇ જશે તો ભારત દેશ 21 વર્ષ પાછળ ધકેલાઇ જશે 
જો ઘરમાં નહીં રહીયે તો તેની કિંમત સમગ્ર દેશ ભોગવશે 
આમ છતાં એક-એક ભારતીયોનું જીવન બચાવવું સમયે મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક મનપાની સૌથી મોટી પ્રાથમિકતા છે. દેશનું દરેક રાજ્ય, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ, દરેક જિલ્લો, દરેક ગામ, દરેક ગલી અને દરેક મોહલ્લા લોકડાઉન થઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કોરોનાની ભયાવહતા વિષે જણાવતા કહ્યું કે છેલ્લા 2 મહિનાના અધ્યયનથી ખ્યાલ આવ્યો છે કે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ છે. જેથી વડાપ્રધાન કોરોનાથી બચવા દરેક લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ કેવી ભયાનક રીતે ફેલાય છે તે વાત પણ આંકડાકીય રીતે રજૂ કરી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ખૂબજ ધીમે ફેલાતો કોરોના ત્યારબાદ કેટલી ઝડપથી ફેલાયો તેના ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા.
દરેક રાજ્ય, જિલ્લા, ગામ, ગલી, મોહલ્લામાં લોકડાઉન
દેશનું દરેક રાજ્ય, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ, દરેક જિલ્લો, દરેક ગામ, દરેક ગલી અને દરેક મોહલ્લા લોકડાઉન થઈ રહ્યાં છે. વિદેશમાં ત્યાના નાગરિકોએ ત્યાની સરકારના આદેશોનું પાલન કરી કોરોના સામે જંગ જીતી રહ્યા છે. પ્રધાનમંત્રીથી લઈને ગામના સામાન્યા માણસ સુધુ બધાએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. ભારત આજે સ્થિતિએ છે જ્યાં આપણે નક્કી કરીશું કે આપણું ભવીષ્ય કેવું હશે. ધૈર્ય અને અનુંશાસનની ઘડી છે. કોરોના ફેલાય તો તેને રોકવો ભારત માટે મુશ્કેલ થઈ જશે. જે લોકો કોરોના સામે લડી રહ્યા છે, લોકોની સારવાર કરી રહ્યા છે, જે લોકો સફાઈ કરી રહ્યા છે તેવા લોકો માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. દેશને સાચી જણાવવવા જે મીડિયાકર્મી રસ્તાઓ પર રખડી રહ્યો છે તેને માટે પ્રાર્થના કરો ઉપરાંત રોડ પર કાયદો અને વ્યવસ્થા જાળવવવા જે પોલીસકર્મી ઉભા છે તેમને સપોર્ટ કરો. અવસર સામાન્ય લોકો માટે ઘણી મુશ્કેલીનો છે.
ભારત સરકારનું ડીજીટલ પ્રમાણપત્ર મેળવવા ફોટો પર ક્લિક કરો
=========================
આ પ્રમાણેનું પ્રમાણપત્ર મળશે
=========================
લોકડાઉન ૩ મહિના સુધી લંબાશે???