Unlock Guideline



અનલોક ગાઈડલાઈન

સમગ્ર દેશમાં Covid-19ની અસરો ધ્યાને લેતા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તારીખ ૩૦-૦૯-૨૦૨૦ના હુકમથી કન્ટેન્મેન્ટ ઝોનમાં તારીખ ૩૧-૧૦-૨૦૨૦ સુધી લોકડાઉનની અવધી લંબાવવામાં આવી છે. તથા કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સૂચનાઓ અનુસાર પ્રવૃત્તિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જે અન્વયે ગૃહ વિભાગના તારીખ ૦૧-૧૦-૨૦૨૦ના જાહેરનામાથી વિગતવાર સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તારીખ ૩૦-૦૯-૨૦૨૦ના હુકમ અન્વયે સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા અન્ય કોઈપણ નાના-મોટા કાર્યક્રમ સંબંધમાં રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવાની રહે છે. જે અન્વયે પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારે તારીખ ૧૬-૧૦-૨૦૨૦થી અમલમાં આવે તે રીતે નીચે મુજબની કાર્યપદ્ધતિ અપનાવવાનું નક્કી કરેલ છે.

કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તેમજ અન્ય નાના-મોટા કાર્યક્રમનું શરતોને આધીન આયોજન કરી શકાશે. એ તમામ શરતો જાણવા માટે રાજ્ય સરકારનું ઓફિશિયલ જાહેરનામું જોવા માટે નીચેની ફોટો લિંક પર ક્લિક કરો:

સરકારશ્રીનું ઓફિસીઅલ જાહેરનામું