Payal Benefit



પાયલ પહેરવાના અનેક ફાયદા
પાયલ પહેરવાના અનેક ફાયદા છે. આપણા દેશમાં દરેક વર્ગની મહિલાઓમાં દાગીનાને લઇને વિશેષ લગાવ હોય છે. એટલું નહીં, ધાર્મિક શાસ્ત્રોમાં પણ મહિલાઓના સોળ શૃંગાર અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમા મહિલાઓના માથાથી લઇને પગ માટે અલગ-અલગ દાગીના પહેરવા અને તેની અસર અંગે જણાવવામાં આવ્યું છે. જ્યારે આજકાલ કેટલીક યુવતીઓ પગમાં હળવી અને ટ્રેન્ડી પાયલ પહેરવાનું પસંદ કરે છે. તો કેટલીક મહિલાઓ નવી ડિઝાઇન્સની ભારે પાયલ પણ પહેરવાનું પસંદ કરે છે. તમને જણાવી દઇએ કે પાયલને અંગ્રેજીમાં એંકલ્ટ કહેવામાં આવે છે. એવામાં અમે તમને પગમાં પાયલ પહેરવાના ફાયદા અંગે જણાવીશું..
પાયલ પહેરવાના ફાયદા
નાની બાળકીઓ અને મહિલાઓ પગમાં ખાસ કરીને ચાંદીની પાયલ પહેરવા માટે કહેવામાં આવે છે. કારણકે ચાંદીની પાયલ પગમાં વાંરવાર અડવાથી અને રગડવથી પગના હાડકા મજબૂત થાય છે અને પગનો દુખાવો દૂર થાય છે.
પ્રાચીન કાળમાં મહિલાઓ ઘૂઘરી વાળી પાયલ પહેરવા માટે કહેવામાં આવતું હતું જેનું પાછળનું કારણ જ્યારે મહિલાઓ ઘરથી બહાર જવા અને આવાવની જાણકારી સાથે હતીં, સાથે ઘુઘરીના અવાજથી મનને શાંતિ પણ મળે છે.
મહિલાઓ ચાંદીની પાયલ પહેરવાના અનેક ફાયદાઓ છે. પહેરવાથી પીરિયડ્સમાં થતા દુખાવાથી લાભ પણ મળે છે. સાથે પાયલ ઇન્ફર્ટિલિટી અને હોર્મોંસ સંબંધી સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
મહિલાઓના પગમાં પાયલ પહેરવાથી ઘરના વાસ્તુદોષ ઓછો થાય છે કારણકે પાયલના અવાજથી ઘરમાં નકારાત્મક ઉર્જાની જગ્યાએ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને શાંતિ રહે છે.
પગમાં પાયલ પહેરવાથી મહિલાઓના શરીરમાં બ્લડ સર્કુલેશન યોગ્ય રહે છે. જેનાથી તે વધારે એનર્જેટિક અનુભવ કરે છે. Source