NTSE 2019-20



NTSE 2019-20
 Be The Change

ધો. ૧૦મા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે NCERT, ન્યુ દિલ્હી પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા – NTSE બે તબક્કામાં લેવાનાર છે. પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે. આ પરીક્ષાના આવેદનપત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન ભરવાના રહેશે.
શિષ્યવૃત્તિની રકમ તથા ચુકવણી:
·        NTSE પરીક્ષાના બંને તબક્કામાં પાસ થનાર વિદ્યાર્થીને NCERT, ન્યુ દિલ્હી દ્વારા નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
·        ધો. ૧૧ તથા ધો. ૧૨મા માસિક રૂ. ૧,૨૫૦/- શિષ્યવૃત્તિ મળશે.
·        અન્ડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે માસિક રૂ. ૨,૦૦૦/- શિષ્યવૃત્તિ મળશે.
·        Ph.D. અભ્યાસ માટે યુ.જી.સી. ના નિયમાનુસાર શિષ્યવૃત્તિ મળશે.
આવક મર્યાદા:
·        NCERT,  ન્યુ દિલ્હી દ્વારા નક્કી થયા મુજબ આ પરીક્ષામાં આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી. જે વિદ્યાર્થીને સ્કોલરશીપ મેળવવાને પાત્ર ઠરે છે તે વિદ્યાર્થીને પુરેપુરી સ્કોલરશીપ મળશે.
પરીક્ષા ફી:
·       જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. ૭૦/- રહેશે.
·       પી.એચ., ઓ.બી.સી., એસ.સી તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. ૫૦/- રહેશે.
·       સર્વિસ ચાર્જ અલગથી ચુકવવાનો રહેશે.
·       કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહી.
·       પરીક્ષા ફી પોસ્ટ ઓફિસમાં કે ઓનલાઈન ભરી શકાશે.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઇમેજ પર ક્લિક કરો. (ઓફિસીઅલ વેબસાઈટ)
 Be The Change

 Be The Change
ઓફિસીઅલ પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો